यह न थी हमारी क़िस्‌मत

यह न थी हमारी क़िस्‌मत कि विसाल-ए यार होता
अगर और जीते रह्‌ते यिही इन्‌तिज़ार होता

એ ન હતી અમારી કિસ્મત, કે પ્રિયપાત્રને ક્યારેય મળી શકીયે. અને જો અમે કદાચ જીવવાનુ ચાલુ રાખ્યુ હોત તો જીવનભર એજ રાહ જોયા કરવાનુ ચાલ્યુ હોત

तिरे व`दे पर जिये हम तो यह जान झूट जाना
कि ख़्‌वुशी से मर न जाते अगर इ`तिबार होता

જો તારા વચન પર જીવ્યા હોત તો તે ખોટુ જ હતુ, તો ખુશીથી મરી ન ગયા હોત તો જો અમને વિશ્વાસ હોત

तिरी नाज़ुकी से जाना कि बंधा था `अह्‌द बोदा
कभी तू न तोड़ सक्‌ता अगर उस्‌तुवार होता

તારી નાજુકતાથી અમે ખુબ ઢીલા બંધાયા હતા, તુ ક્યારેય તોડી ન શક્ત, જો બરાબર બંધાયા હોતા

कोई मेरे दिल से पूछे तिरे तीर-ए नीम-कश को
यह ख़लिश कहां से होती जो जिगर के पार होता

કોઈને પુછવા કહો મારા હૃદયને તારા હૃદય સોંસરવા ન નીકળેલા તીર વિશે, આ બેચેની જ ન રહી હોત જો હૃદયની પાર નીકળ્યુ હોત

यह कहां की दोस्‌ती है कि बने हैं दोस्‌त नासिह
कोई चारह-साज़ होता कोई ग़म्‌गुसार होता

આ કેવી મિત્રતા છે, કે મિત્રો સલાહકાર બની ગયા છે? અરે કાશ કે કોઈ મદદગાર હોત કે કોઈ સાંત્વન આપનાર હોત

रग-ए सन्‌ग से टपक्‌ता वह लहू कि फिर न थम्‌ता
जिसे ग़म समझ रहे हो यह अगर शरार होता

રગમાંથી ટપકતુ એ લોહી કે જે હવે બંઘ નથી થતુ, જેને તમે દુઃખ સમજો છો એ અંગાર હોત

ग़म अगर्‌चिह जां-गुसिल है पह कहां बचें कि दिल है
ग़म-ए `इश्‌क़ अगर न होता ग़म-ए रोज़्‌गार होता

ભલે આ દુઃખ બધુ જીવન ખાળનાર છે, પણ કઈ રીતે અમે બચીયે, જ્યાં સુધી આ હૃદય છે? જો આ દુઃખ ના હોત તો દુનિયાના અન્ય દુઃખો હોત

कहूं किस से मैं कि क्‌या है शब-ए ग़म बुरी बला है
मुझे क्‌या बुरा था मर्‌ना अगर एक बार होता

કોને કહુ હું કે શું છે, દુઃખની એ રાત એક મોટો આઘાત છે, મને શુ વાંધો હોત જો તે ફક્ત એક જ વાર હોત

हुए मर के हम जो रुस्‌वा हुए क्‌यूं न ग़र्‌क़-ए दर्‌या
न कभी जनाज़ह उठ्‌ता न कहीं मज़ार होता

મરી ગયા પછી હવે, અમે થયા એવા બદનામ – કેમ અમે ન ડુબી ગયા સાગરમાં? ન અમારો જનાજો ઉઠત અને ન અમારી કબર બની હોત

उसे कौन देख सक्‌ता कि यगानह है वह यक्‌ता
जो दूई की बू भी होती तो कहीं दो चार होता

તેને કોણ જોઈ શકે? કેમકે તે ઐક્ય અનોખુ છે, જો ત્યાં બે ની વાત હોત તો કદાચ બે કે ચાર હોત

यह मसाइल-ए तसव्‌वुफ़ यह तिरा बयान ग़ालिब
तुझे हम वली समझ्‌ते जो न बादह-ख़्‌वार होता

આ બધી મુશ્કેલિઓ રાઝના! અને આ તારી કબુલાત ગાલિબ, અમે તેને સંત માની લેત – જો તુ શરાબી ના હોત

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

7 Responses to “यह न थी हमारी क़िस्‌मत”

  1. Rekha Says:

    khub j saras… aabhar…!

  2. shobha Says:

    वाह गालिब साहिब के शेर सुनकर बहुत मज़ा आया। धन्यवाद।

  3. pragnaju Says:

    ગાલીબની સુંદર ગઝલ્,
    તેનો સરળ ગુજરાતીમા તરજુમો
    અને
    ગાયકી જગજીત સીંઘ
    મઝા આવી ગઈ
    એક ઉમ્મીદ જાગી
    હવે તેનો વીડીઓ પણ જોવા મળે!!
    धन्यवाद।

  4. Nitin Says:

    कहूं किस से मैं कि क्‌या है शब-ए ग़म बुरी बला है
    मुझे क्‌या बुरा था मर्‌ना अगर एक बार होता

    કોને કહુ હું કે શું છે, દુઃખની એ રાત એક મોટો આઘાત છે, મને શુ વાંધો હોત જો તે ફક્ત એક જ વાર હોત

    Wah… Maja aa gaya…!

  5. Parul Says:

    Wah Ghalib shaheb… ..

  6. jayeshupadhyaya Says:

    तिरे व`दे पर जिये हम तो यह जान झूट जाना
    कि ख़्‌वुशी से मर न जाते अगर इ`तिबार होता
    ગાલીબના તો બધાજ શેર સરસ હોય પણ આ મને ગમતો શેર

  7. Chandra Says:

    aa badhi mushkeli o raazna ! ane aa taari kabulaat Ghalib
    ame tene Sant maani let -JO TU SHARAABI NA HOT…

    Ghalib ki ghazal aur usmee Jagjitjika Swar ho aur kya chahiye

Leave a comment