સ્નેહ સંદેશ – રમેશ પટેલ ‘આકાશદીપ’

By રાજીવ ગોહેલ

nature_aurora

સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું

આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું

ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે

દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે

વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો

- રમેશ પટેલ ‘આકાશદીપ’

4 Responses to “સ્નેહ સંદેશ – રમેશ પટેલ ‘આકાશદીપ’”

  1. Vital Patel Says:

    જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
    નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે

    Excellent ,something above than routine and nicely supported by
    unique picture of shri Rajivbhai.

    congratulation to Aakashdeep with Happy Divali

    Thanks for sharing.

    Vital Patel

  2. Bina Says:

    Happy Diwali to you all! Bina

  3. Chirag Patel Says:

    ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
    આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું

    ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
    ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

    શુભ વિચારો અને આચારો જ દિવાળીને ઉમંગી બનાવે છે.

    એક એક પંક્તિ પ્રભુના અન્નકૂટ જેટલી સાહિત્યિક વાનગી જેવી મધુર લાગી.

    આ કવિતા ગૌરવવંતી લાગી અને ફોટો પણ કમાલનો પ્રકાશ પર્વ ઉજવતો લાગ્યો.

    સૌને દિવાળી મુબારક,ઑસ્ટ્રેલીઆ ,અમેરીકા .ડાકોર્ થી લંડન અને સકળ ભારતીયોને.

    બોલો શ્રી રણછોડરાયની જય.

    ચીરાગ પટેલ

  4. Patel Paresh Says:

    વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
    ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો

    Enjoyed.

    Happy Divali

    Paresh Patel

Leave a Reply