રેતીના સાગરમાં કદી નાવ તરતી નથી
મૃગજળ પીવાથી કદી તરસ મરતી નથી
એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી
* * * * રાજીવ * * * *
કેમ કરીને કરવો પાર…
વ્હાલા, કેમ કરીને કરવો પાર…, આ ભવસાગરને…
કેમ કરીને કરવો પાર…
સાર સમજવા સંસારનો કરે છે સૌ પ્રયાસ
સાર સમજી ગયાનો થાય સૌને આભાસ
પણ, નથી આ સંસારમાં કોઈ સાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…
અતૃપ્ત આશાઓનો ભાર વેંઠી વેંઠી ને
અભિલાષાની લાશોને ખેંચી ખેંચી ને
હવે શ્વાસોનો પણ લાગે છે ભાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…
અન્યની માટે જીવન ઘસતા રહ્યો તોયે
અન્યની માટે જીવન જીવતો રહ્યો તોયે
સંબંધો થયા બધા તાર તાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…
– રાજીવ

May 8, 2008 at 5:54 PM
રેતીના સાગરમાં કદી નાવ તરતી નથી
મૃગજળ પીવાથી કદી તરસ મરતી નથી
એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી
khub j sundar mukatak…
May 9, 2008 at 4:58 AM
એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી
કેટલી સાચી વાત!
અતૃપ્ત આશાઓનો ભાર વેંઠી વેંઠી ને
અભિલાષાની લાશોને ખેંચી ખેંચી ને
હવે શ્વાસોનો પણ લાગે છે ભાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…
યોગરતો વા ભોગરતો વા
સંગરતો વા સંગવિહીન
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં
નન્દતિ નન્દતિ નન્દત્યેવ||
May 9, 2008 at 2:24 PM
કેમ કરીને કરવો પાર…
Sundar
May 10, 2008 at 5:33 AM
[...] From, http://bhaviraju.wordpress.com/2008/05/08/bhavsagar [...]
May 21, 2008 at 2:15 PM
સાર સમજવા સંસારનો કરે છે સૌ પ્રયાસ
સાર સમજી ગયાનો થાય સૌને આભાસ
પણ, નથી આ સંસારમાં કોઈ સાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…
saras..