ચાલો મિત્રો આજના દિવસે હું તમને સંત વેલેન્ટાઇનની કહાની સંભળાવુ, કદાચ તમે જાણતા હશો અને કદાચ કઇ નવુ જાણવા પણ મળે…!
સંત વેલેન્ટાઇન ત્રિજી સદીમાં થઇ ગયા અને તેઓ રોમમાં રહેતા હતા. એ સમયે રોમ પર ક્લોડિયસ નામના રાજાનુ શાસન ચાલતુ હતું.સંત વેલેન્ટાઇનને તે રાજા પ્રત્યે ખાસ માન હતુ નહી અને રાજ્યના મોટા ભાગના લોકોનો પણ આજ મત હતો.
ક્લોડિયસ ખુબ મોટુ લશ્કર બનાવવા માંગતો હતો. તે ઇચ્છતો હતો કે લોકો સામે ચાલીને લશ્કરમાં જોડાય. મોટા ભાગના લોકો લડાઇ કરવા અને લશ્કરમાં જોડાવા ઇચ્છતા નહતા. તેઓ તેમના બાળકોને અને પત્નીને છોડવા માંગતા નહતા. અને તમે વિચારીજ શકો છો તેમ ખુબ ઓછા માણસો લશ્કરમાં પોતાની મરજીથી જોડાયા. આ હકીકતે ક્લોડિયસને ખુબ ગુસ્સે કર્યો. અને તે એક ગાંડા માણસ જેવો વિચાર લઇને આવ્યો. તેણે વિચાર્યુ કે જો પુરુષો પરણેલા નહી હોય તો તેઓને લશ્કરમાં જોડાવામાં કોઇ વાંધો નહી આવે. અને તેથી ક્લોડિયસે નક્કી કર્યુ કે હવે પછી તેના રાજ્યમાં કોઇને લગ્ન કરવા દેવામાં આવશે નહી. જુવાનીયાઓએ વિચાર્યુ કે આ તો એક ઘાતકી નિર્ણય કહેવાય. સંત વેલેન્ટાઇનને પણ ખુબ દુઃખ થયુ અને તેમણે નક્કી કર્યુ કે તેઓ આ હુકમની નાફરમાની કરશે.
સંત વેલેન્ટાઇન એક પાદરી હતા અને તેમને ગમતા કામમાં સૌથી મોખરે હતુ લોકોના લગ્ન કરાવવા. રાજા ક્લોડિયસના ફરમાન પછી પણ સંત વેલેન્ટાઇન લોકોના લગ્ન છુપાઇ છુપાઇને કરાવતા રહ્યા. તેમને તે રીતે લોકોના લગ્ન કરાવવામાં ખુબ આનંદ આવતો અને લોકો તેમને સાચા મનથી દુવા આપતા. તેઓ એક નાના રુમમાં વર અને વધુ સાથે એક નાની મિણબત્તીના અજવાળે, સૈનિકોના પરેડના અવાજ સાંભળતા સાંભળતા, ખુબ સાવચેતીથી, મંત્રોચ્ચાર કરી લોકોના લગન કરાવતા.
એક રાતની વાત છે, અમે કોઇના પગલાનો અવાજ સાંભળ્યો. તે ખુબ ભયાનક ક્ષણ હતી, લગ્ન કરવા આવેલા યુવક અને યુવતીને સંતે સાચવીને ત્યાંથી રવાના કરી દિધા પણ તેઓ પકડાઇ ગયા. તેમને જેલમા પુરવામાં આવ્યા અને રાજાએ તેમને મૃત્યુની સજા આપી.
સજા સાંભળ્યા પછી પણ સંત ખુબ આનંદમાંજ રહ્યા. તેમને જેલમાં મળવા માટે લોકોના ટોળા ઉમટતા રહ્યા. લોકો તેમના પર ફુલો અને પત્રોનો વરસાદ કરતા રહ્યા. તેમની જેલની બારી પર લોકો ફુલો અને કાગળ મુકી જતા હતા. તે બધા જાણે કે સંતને કહેતા હતા કે અમે પણ “પ્રેમ”માં માનીયે છિયે.
તે બધા જુવાનીયાઓમાં એક છોકરી હતી કે જેના પિતા સંત વેલેન્ટાઇનની જેલના ગાર્ડ હતા. ત છોકરી સંત વેલેન્ટાઇનને જેલની અંદર મળવા આવતી, તેઓ ઘણી વાતો કરતા અને તે છોકરી સંત વેલેન્ટાઇનને કહેતી કે તમે ખુબ સારુ કામ કર્યુ છે.
જે દિવસે સંત વેલેન્ટાઇનને મારી નાખવામાં આવ્યા તે દિવસે તેઓએ તેમની મિત્ર માટે એક કાગળ પર તેની પ્રામાણીકતા અને મિત્રતા માટે એક નોંઘ લખી હતી. તેમા લખ્યુ હતુ “Love from your Valentine.” સંત વેલેન્ટાઇનને આ રીતે પ્રથમ વાર પ્રેમ સંદેશો આપવાની શરુઆત કરી. તે સંદેશો તેમના મુત્યુના દિવસે લખાયો હતો તારીખ હતી ફેબ્રુઆરી ૧૪, ૨૬૮ એ.ડી.
અને આજે સદીઓ વિત્યા પછી પણ લોકો તેમને યાદ કરે છે. સંત વેલેન્ટાઇન માટે મહત્વની વાત એ છે કે લોકો પ્રેમ અને મિત્રતામાં વિશ્વાસ રાખે. અને તેઓ જ્યારે ક્લોડિયસનો વિચાર કરે ત્યારે તેઓ યાદ રાખે કઇ રીતે તેણે પ્રેમના રસ્તામા આવ્યો હતો અને તેઓ તેના પર હસે… કેમકે તે બધ સમજે છે કે પ્રેમને ક્યારેય હરાવી શકાય નહી…!
સંત વેલેન્ટાઇનને માટે નીચે આપેલી પંક્તિઓ લોકો ગાતા હતા…
Good morning to you, valentine;
Curl your locks as I do mine —
Two before and three behind.
Good morning to you, valentine.
- રાજીવ

February 14, 2007 at 4:44 AM
સરસ સભર માહિતી આપી છે.
February 14, 2007 at 6:13 PM
Welcome change from excess of poetry!!
September 7, 2007 at 11:51 AM
Really a such a good Story. I didn’t understand a Velentine day sotry but today i understan this story. About Velentine Day
Thank
Rajiv
February 13, 2008 at 11:18 PM
[...] સંત વેલેન્ટાઇનની કહાની…! [...]
February 14, 2008 at 6:03 AM
detailed information
nice one…..!!
have a lovly valentine day…..!!
February 14, 2008 at 3:55 PM
યુ ટુ
February 14, 2009 at 9:06 AM
[...] તમે વંચી જ હશે… શું નથી વાંચી ??? તો લો અહીં ક્લીક કરો અને જાણી લો આ દિવસના મહત્વ અને તેની [...]